ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ 24 કલાક ટ્રાફિક થી ધમધમતો રહે છે.નરેન્દ્રભાઈ મોદી ના ડ્રિમ પ્રોજેકટ ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માં આવતા દેશ ભર માંથી પ્રવાસીઓ આ રસ્તે થી અવર જવર કરતા હોય છે.પરંતુ આ રોડ પર ક્યારેક રખડતા ઢોરો નો જમાવડો હોય છે તો ક્યારેક મુખ્ય રસ્તા ની લાઈટો બંધ હોય છે.જેને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે.આજરોજ આ રોડ ની મધ્ય માં ગટર નું ઢાંકણું તૂટેલું જણાતા આસપાસ ની સોસાયટી ના જાગૃત રહીશો દ્વારા પાલિકા તંત્ર માં આ અંગે ની જાણ કરવામાં આવી હતી.ઝડપ થી પસાર થતું વાહન ખુલ્લી ગટર માં પછડાય તો જાન હાનિ થઈ શકે એમ હોવાથી વહેલી તકે મરામત થાય તેવી રહીશો ની માંગ ઉઠવા પામી છે.અગાઉ આ રસ્તા પર ઘણા અકસ્માત સર્જાયા છે જેના કારણે નીર્દોષો ના જીવ ગયા હોવના બનાવ અગાઉ બનવા પામ્યા છે.જેથી તકેદારી ના રૂપે હાઈવે ની નજીક ની સોસાયટી ના રહીશો દ્વારા તંત્ર ને જાણ કરી વહેલી તકે ગટર નું ઢાંકણું નાખી જવાં જાણ કરી હતી.જેથી અગાઉ ની જેમ કોઈ નિર્દોષ ને જીવ ગુમાવવા નો વારો ન આવે.