ખેરાલુ આરીફ દીવાન (મોરબી) :-
અમદાવાદ:જીઆરડી વેલ્ફેર ફેડરેશન દ્વારા સંચાલિત જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડના ચિફ એક્સેક્યુટિવ ઓફિસર પ્રો. શ્રી અમિતકુમાર રાવલ અને જીઆરડી વેલ્ફેર ફેડરેશન નાં ડાયરેક્ટર શ્રી મહેબૂબઅલી સૈયદજી તેમજ મંત્રીશ્રી પરવેઝભાઈ પઠાણએ મહેસાણા જીલ્લાનાં ખેરાલુ તાલુકાનાં જોરાપુરા ગામનાં જે જીઆરડી સભ્યોને તાજેતરમાં અકસ્માત થયેલ તેમનાં ઘરે જઈને મુલાકાત લીધી અને તેઓનાં ઘરનાં સભ્યોને સાંત્વના આપી.
વધુમાં જીઆરડી વેલ્ફેર ફેડરેશન દ્વારા સંચાલિત જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડના ચિફ એક્સેક્યુટિવ ઓફિસર પ્રો. શ્રી અમિતકુમાર રાવલએ જણાવ્યું કે સંસ્થા દ્વારા અકસ્માતમાં પીડિત બંને જીઆરડી જવાનો માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને જેટલી પણ મદદ સંસ્થા દ્વારા થઈ શકશે એ કરવા કટિબદ્ધ છે.