ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા અને દાહોદ દ્વારા તા.૧૩/૦૪/૨૦૨૨ નારોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા પંચમહાલ ભોયતળિયું,જિલ્લા સેવા સદન -૨ કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે માત્ર ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે.જેમાં દિવ્યાંગ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધો.૧૦ થી ઓછુ ભણેલા, ધો.૧૦પાસ, ૧૨પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા,ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૪૦ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી દિવ્યાંગ ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર માં રોજગારીની તક/ સ્વરોજગારી તક પૂરી પાડવામાં આવશે.આ ભરતીમેળામાં પંચમહાલ જીલ્લાના નોકરીદાતા દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ તેમજ લાયકાત અને શારીરિક ક્ષમતા મુજબની જગ્યાઓ માટે નોકરીદાતા દ્વારા પસંદગી કરવામાં આવશે. ભરતીમેળામાં ભાગ લેવા માંગતા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવેલ છે.