છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીએ ખેડૂતો પર થયેલ અત્યાચારને લઈ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ 4 ઓક્ટોબર ના દિવસે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા લખીમ પુરમાં ખેડૂતો પર અત્યાચાર થઈ ખેડૂતો ની હત્યા કરવામાં આવી હતી તેને લઈને ખેડૂત સહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે સાંજે અલીપુરા થી બજારમાં ગિરિરાજ મેડિકલ સ્ટોર સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મીણબત્તી લઈને એક શાંતિ પૂર્વક. રેલી કાઢવામાં આવી હતી બોડેલી છોટાઉદેપુર આમ આદમી કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં બોડેલી તાલુકા પ્રમુખ દીલુભાઇ ઠક્કર બોડેલી તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ બોડેલી તાલુકા મધ્ય ઝોન સંગઠન નરહરિભાઈ પટેલ તેમજ આપ કાર્યકર્તા. અસ્પાક ભાઈ કુરેશી તેમજ શબ્બીરભાઈ સેખ ગાદલા વાળા ઢોકલીયા અને સુનિલભાઈ ઠક્કર તેમજ આપ કાર્યકર્તાઓ જોડાયા હતા શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here