બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
જાણવા મુજબ પોલીસ અલીપુરા બસ ડેપોની બે દિવસ થી એક મન બુદ્ધિ વાળો કિશોર આશરે ઉંમર ૧૫ થી ૧૭ વર્ષ નો તે મોઢાથી બોલી શકતો નથી ઈસારા થી વાત કરે છે બોડેલી બસ ડેપો માંથી બસ નીકળતી હોય ત્યારે એ ઇસારો કરે છે તે જોઈને અલીપુરા બસ ડેપો પાસે આવેલ સુરત મોટલના નીચે સ્થાનિક લોકો ગોવિંદભાઈ તેમજ રાજાભાઈ ખત્રી અને સૂરજ મોટેલમાં રહેવા આવેલ વિક્રમભાઈ રાવલ તેઓએ આ કિશોરને નવડાવી ધોવડાવી નવા કપડાં પહેરાવીને તેમજ ભોજન કરાવીને અને ગોવિંદભાઈ નાય એ વાળ કાપીને આ કિશોર ને અપટુ ડેટ બનાવ્યો હતો ત્યારેસ્થાનિક લોકોએ બોડેલીના પત્રકાર મયુદ્દીનભાઈ ખત્રી તેમજ સુલેમાનભાઈ ખત્રી અને શ્યામભાઈ ગઢવીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી આ બે દિવસથી આ કિશોર અહીંયા આજુબાજુ આટા ફેરા કરે છે અને તેમના કુટુંબને મલી જાય એવૂ આપને કાર્ય કરવાનું તેવુ જણાવેલ હતુ ત્યારે બોડેલીના પત્રકાર મયુદ્દીન ખત્રી દ્વારા મુસીબતમાં મુકેલા બાળક માટે રાષ્ટ્રીય કક્ષાએ ૨૪ કલાક મફત સેવા આપતી ચાઈલ્ડ લાઈન પર 10 98 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો ત્યારે ગણતરીના સમયમાં છોટાઉદેપુર ચાઇલ્ડ ઓફિસના અધિકારીઓ એ આ મન બુદ્ધિ વાળા કિશોરને તેમની સંસ્થા છોટાઉદેપુર ખાતે ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને માનવતાનું કાર્ય કર્યું હતું.