છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ખાતે ત્રિશુલ દીક્ષાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જેમાં સાધુ સંતો અને પૂજ્ય ફૂલસીંગ જી મહારાજ પૂજ્ય પ્રવીણ જી મહારાજ પૂજ્ય વિનોદ જી મહારાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ દીપકભાઈ વ્રજવાસી મંત્રી રાજુભાઈ સુથાર તેમજ બજરંગ જિલ્લાના સયોજક વિજય રાઠવા અને સહ સંયોજક ધર્મેન્દ્રસિંહ સહ સંયોજક હિતેન્દ્રસિંહ રાઠોડ તેમજ તાલુકા કાર્યવાહ જશવંત રાઠવા તાલુકા અધ્યક્ષ સંજયભાઈ રાઠવા તેમજ ઝોઝ ગામના આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ૫૧ બજરંગીઓએ બજરંગ દળ ની દીક્ષા લીધી હતી તમામ આજે સમસ્ત હિન્દુ સમાજની રક્ષા તેમજ ભારત દેશની રક્ષા તેમજ પૂજ્ય સાધુ-સંતોની મઠ મંદિરની રક્ષા તેમજ બહેનો દીકરી ઓ ની રક્ષા કરવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ ભવ્ય કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here