છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે ઈદે મીલાદની તડામાર તૈયારીઓ શરૂ…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

આગામી 9 મી ઓક્ટોબરના રોજ વિશ્વ માટે શાંતિ અને અમનનો સંદેશો લઈને અવતરેલા પેગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.નો ઇસ્લામી હિજરી 12 મી રજબના ચાંદ મુજબ જન્મ દિવસ ઉજવવામા આવશે. જેને અનુરૂપ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ગામના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે મસ્જિદ મોહલ્લા, કસ્બા મોહલ્લા, રેલવે ફાટક વિસ્તાર, તેમજ હાજી મોહલ્લા હાઈસ્કૂલ વિસ્તારમા રોડ રસ્તાઓનો શણગાર કરવાની તડામાર તૈયારીઓ મુસ્લિમ સમાજ દ્વારા શરૂ કરી દેવામા આવી છે. જેમા મસ્જિદ, મદરસા,તેમજ મકાનો પર રંગબેરંગી ડેકોરેશન તથા ઇદે મિલાદના ઝંડા લગાવવામા આવી રહયા છે. અને કુરઆન ખ્વાની, નાતો મનકબત ,દુરુદ શરીફની મહેફિલોનુ પણ આયોજન કરવામા આવી રહયુ છે. સાથો સાથ સમાજના આગેવાનો દ્વારા શાંતીપૂર્વક તહેવાર ઉજવાય તેવું આયોજન કરવામા આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here