છોટાઉદેપુર, સકીલ બલોચ :-
આજે છોટાઇદેપુરમાં ઈદ મિલાદ ની અનોખી ઉજવણી કરવામાં આવી , મિલાદુન્નબી નિમિત્તે ઠેર – ઠેર જૂલુશ કાઢવામાં આવ્યો હતો , પરંતુ મોહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના આદર્શો ને ધ્યાનમાં લઈને છોટાઉદેપુરમાં મુસ્લિમ યુવાનો દ્રારા રેફરલ હોસ્પિટલમાં જઈને એડમિટ થયેલ દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરીને તેમને જલ્દી થી સાજા થવાની પ્રાથના કરવામાં આવી હતી , આમ ઈદ મિલાદુન્નબી ની અનોખી ઉજવણી કરીને છોટાઉદેપુરના મુસ્લિમ યુવાનોએ સમાજમાં એક અનેરો સંદેશ અર્પણ કરેલ છે.