નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
“ચામેઠા ગ્રામ પંચાયત ને ગ્રામજનો દ્રારા તાળા બંધી ની ચીમકી”
નસવાડી તાલુકાના ચામેઠા ગ્રામ પંચાયત નાં તલાટી સતત ચોવીસ દિવસથી ગેર હાજર રેહતા સરપંચ સહીત ગ્રામજનો રોષે ભરાયા હતાં જેનું મુખ્ય કરણ એ છે કે હાલ નવા એડમિશન ચાલુ છે અને એમા આવક તથા જાતીના દાખલા કઢાવવા માટે ગ્રામજનો ગ્રામ પંચાયત ખાતે આવતાં હોય છે પરંતું તલાટી હાજર ન રેહતા ગ્રામજનો મૂંઝવણ મા મુકાયા છે આ બાબતે તાલુકા પંચાયત ખાતે પણ જાણ કરવામાં આવી હતી પરંતું કોઈ પગલા ન લેવાતા ગ્રામજનો ચામેઠા ગ્રામ પંચાયત ખાતે આવી તલાટી આપો તલાટી આપો નાં ભારે સુત્રોચાર કરી રોષ ઠાલવ્યો હતો અને જો તલાટી મુકવામાં નહી આવે તો ગ્રામ પંચાયત ખાતે તાળા બંધી કરવાની ગ્રામજનોએ ચીમકી આપી હતી.