ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા અનુબંધમ પોર્ટલ તથા એન.સી.એસ પોર્ટલના માધ્યમથી ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તારીખ ૨૩ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની તક માટે એમ.જી. ઇન્ડિયા મોટર ઇન્ડિયા પ્રા લી.હાલોલ,સન ફાર્માસ્યુટિકલ લી.હાલોલ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લી હાલોલ, પોલીકેબ ઇન્ડિયા લી. હાલોલ, જે.સી.બી ઇન્ડસ્ટ્રીઝ હાલોલ, બડવે એન્જીનીયરીંગ હાલોલ એકમો દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ આઈ.ટી.આઈ. ડીપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વય મર્યાદા ધરાવતા અનુભવી બિન-અનુભવી ઉમેદવારોને ઈન્ટરવ્યું પ્રક્રિયા દ્વારા રોજગારીની તક આપવામાં આવશે. તેમજ વિવિધ સ્વ રોજગાર સંસ્થાઓ દ્વારા સ્વ રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.