ગોધરા,(પંચમહાલ)
ગોધરાની કલરવ સ્કૂલની વિધ્યાર્થીની કુ માહી મહેન્દ્રકુમાર પરમારે તાજેતરમાં ગોધરા ખાતેસંસ્કાર ભારતી સંસ્થા દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાની વેશ ભૂષા સ્પર્ધામમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ઓનલાઈન યોજાયેલ સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ અમન ડે સ્કૂલ ખાતે આજે સમ્પન્ન થયો. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક શ્રી હરીશભાઈ રાવલ, શ્રી પરિમલજી પાઠક તથા અમન ડે સ્કૂલના શ્રી પિન્ટુભાઈ જાનીના વરદ હસ્તે સ્પર્ધકોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં કું માહી પરમારને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે. કલા સાહિત્યના વિકાસ માટે કામ કરતી સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં નિર્ણાયકો સહિત ડૉ રૂપેશ નાકર’ સંગીત ગ્રૂપના ગોપાલભાઈ પટેલ આકાશવાણીના ઉદઘોસક અને મૂર્તિકાર કિરણ ચાંપાનેરીયા સહિત મહાનુભાવોએ બાળકોને બિરદાવ્યા હતા. સંચાલન ડૉ રૂપેશ નાકરે કર્યુ હતુ.