ગોધરા,(પંચમહાલ)
જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ઘટવાનો દર તેજ બન્યો, હાલની સ્થિતિએ ૨૨૯ વ્યક્તિઓ સારવાર હેઠળ
કુલ કેસનો આંક ૨૧૧૦ થયો, કુલ ૧૭૭૯ વ્યક્તિઓ કોરોનાને પછડાટ આપી સ્વગૃહે પરત
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૧૧૦ થઈ છે. જો કે સામે પક્ષે આજે ૩૧ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૨૯ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૭ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૨ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૮ અને હાલોલ શહેરમાંથી ૦૫ તેમજ કાલોલ શહેરમાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૬૬૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૩, હાલોલ ગ્રામ્યમાંથી ૦૨, કાલોલ ગ્રામ્યમાંથી ૦૪ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૪૪૩ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૭૭૯ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૨૯ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.