કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલના બસ સ્ટેન્ડ પાસે આવેલા આર.કે ગાંઘી ફૂડ કોર્નર નજીક ગટર લાઇન પરનો પત્થર છેલ્લા ઘણા સમયથી તૂટી જતા વારંવાર વાહન ચાલકોના વાહન આ જગ્યાએ ખોટકાઈ જાય છે. હાઇવે પરના રોડની સાર સંભાળ લેતા એલ એન્ડ ટી દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ન ઘરતા અજાણ્યા વાહન ચાલકો તેમાં પડતા અકસ્માતનો ભોગ બની જાય છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવશે કે કેમ ?