કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ કોંગ્રેસ દ્વારા શુક્રવારે હાથરસ ઉત્તર પ્રદેશના બનાવમાં દલિત યુવતીને બળાત્કાર કર્યા બાદ નિર્મમ હત્યા તથા તેનું પરિવારની ઇચ્છા વિરુદ્ધ અંતિમ સંસ્કાર કરવા બાબત આ ઉપરાંત આ યુવતીની સમયસર ફરિયાદ નહીં લેવા બાબત સમયસર સારવાર નહીં આપવા જેવા મુદ્દે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને આરોપી બનાવવા ઉત્તર પ્રદેશ સરકાર લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલ હોય અને ખેડૂતવિરોધી બિલ પાસ કરી તમામ ખેડૂતોનું હિત જોયા વગર બિલ પાસ કરેલ છે આ ઉપરાંત વલસાડ ખાતે તાજેતરમાં બળાત્કારનો બનાવ બનેલ છે તે બાબતે તમામ મુદ્દે ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર કાલોલ મામલતદાર મારફતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું.