કાલોલના મધવાસ ગામમાં ફ્રી વંધ્યત્વ નિવારણ મેડિકલ કેમ્પમાં મોટીસંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે આજરોજ ફ્રી વંધ્યત્વ નિવારણ નિદાન મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના નામાંકિત ડોક્ટર કૃપા એ શાહ એમ.એસ ગાયનેક વંધ્યત્વ અને આઇ.વી.એફ.નિષ્ણાંત દ્વારા વિવિધ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં લાભાર્થીઓની લગતી માહિતી જેવી કે લાંબા ગાળાની સારવારમાં નિષ્ફળતા,ગર્ભાશય મા ગાંઠો કે અંડાશય મા ગાંઠ,બંધ ગર્ભ ની નળીઓ,ગર્ભાશય ની પાતળી દીવાલ,બધાજ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બાળક ન રેહતું હોય,અનેક વાર આઇ.ઓ.આઇ. કે આઇ.વી.એફ. મા નિષ્ફળતા, શુક્રાણુ ની ઓછી સંખ્યા કે નહિવત સંખ્યા, પી.સી.ઓ.એસ.ની તકલીફ સહિત ફ્રી રજિસ્ટ્રેશન ફ્રી કાઉન્સિલ ફ્રી સોનોગ્રાફી ફ્રી વીર્યની તપાસ આઇ.વી.એફ.ની સારવાર અને રાહત દરે ગેરંટી વાળા પેકેજ ની સુવિધા રાહત દરે દૂરબીન થી તપાસ નિષ્ણાંત ડોક્ટર કૃપા એ. શાહ દ્વારા કરવામાં આવી હતી આજરોજ કાલોલ સહિત આજુબાજુના તાલુકાઓમાંથી આવેલા મોટીસંખ્યામાં લાભાર્થીઓ સહિત કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી વંધ્યત્વ નિવારણ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ આયોજન અને તબીબોની સેવા કામગીરીને બિરદાવી હતી અંતે કેમ્પનું સફળ સંચાલન ડોક્ટર સુનીલભાઇ પરમાર દ્વારા સુંદર રીતે કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here