કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચૈત્ર વદ એકાદશી – વરૂથિની અગિયારસના પાવન દિને શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાને ભવ્ય આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.
વળી, આજે ચૈત્ર સુદ એકાદશી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહાપ્રભુની આરતી ઉતારી હતી તથા આજના પાવનકારી અવસરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મહાપૂજા પણ કરવામાં આવી હતી. આ દિવ્ય પાવનકારી અવસરનો લાભ દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.