પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-
પાવીજેતપુર : કવાંટ તાલુકાના ગેલેસર ગામે વીજ લાઇનના થાબાલા પર ફોલ્ટ થત્તા 2 એકર સોયાબીનનો ઊભો પાક બડી ગયાંની ફરીયાદ કરવા એમજીવીસીએલની ઓફિસ મા ગયેલ ખેડૂતની વાત સુધા ના સાભળી કવાંટ તાલુકો જ્યાં 90 ટકા ખેડૂતો ચોમાસાની ખેતી પર નભે છે ત્યારે એમજીવીસીએલ ની બેદરકારી નો ભોગ કવાંટ તાલુકા ના થડગામ પંચાયત ના ગેલેસર ગામનો ખેડૂત રાઠવા વિનુભાઈ બનતા 2 એકર સોયાબીન સંપૂર્ણ બડી જતા કફોડી હાલત થઈ ગઈ છે ત્યારે ખેડૂત દ્વારા એમજીવીસીએલ ઓફિસ માં આ અંગે જાણ કરવા જતા 3 કલાક સુધી ખેડૂત ને બેસાડી રાખી વાત પણ સાભળી ન હતી રવિવાર ના રોજ બનાવ બન્યો ત્યારે રજા હોવાથી સોમવાર આવજો તમે કહી હેલ્પર ને ફોટો પાડવા મોકલેલ થડગામ પંચાયત ના સરપંચના રાઠવા ગમલાભાઇ જનાવ્યાં મુજબ એમજીવીસીએલ ની કચેરી માં આગ ના બનાવની જાણ કરતા સ્ટાફ નથી તેમ કહે છે એમજીવીસીએલ ની બેદરકાર નો ભોગ ખેડૂત બન્યો જેથી તેનેં વળતર મળવું જોઈએ તેમ જણાવ્યું હતું.