મીરબી, આરીફ દીવાન :-
ઓરિસ્સાના બાલાસોર જીલ્લામાં ત્રેવડી રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકોની આત્માની શાંતિ માટે આદિપુર ખાતે માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દુઃખ ભંજન દરબાર ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં ઉપસ્થિત માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, દુઃખ ભંજન દરબાર ટ્રસ્ટ નાં પ્રમુખ મોહન ઉદાશી , ભાગચંદ ધવન , રાજુ ઉદાસી, જતીન રામચદાની, ધ્રુવ રામચંદાની ,ગોપી પારદાસાની, કંચન સંઘતાની, અરુણા અજવાની તેમજ ગ્રુપ નાં અન્ય સભ્યો એ રેલ્વે અક્સ્માત માં માર્યા ગયેલા યાત્રિકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળી મીણબત્તી પ્રગટાવી વિશ્વમાં આવી હોનારતો અને ઘટનાઓ ના સર્જાય તે માટે ઈશ્વર ને પ્રાર્થના કરવામાં આવી હતી .