આગામી તારીખ ૨૨ સપ્ટેમ્બરના રોજ ૧૧.૦૦ કલાકે કલેક્ટરશ્રીની કચેરી સભા ખંડ ગોધરા, પંચમહાલ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૨૨ ને ચોથા ગુરૂવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી કલેક્ટરશ્રીની કચેરી સભા ખંડ ગોધરા, પંચમહાલ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
સંબંધ કર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ ધ્વારા રજૂ કરવાના રહેશે. અરજી ઉપર “જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ“ ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું ૨હેશે.તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકાવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.

• લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજા કરવાની રહેશે
• જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઈપણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોઈ.
• જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
• આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોઈ તેવા પ્રશ્નો હોવા જોઈએ.
• આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ.
• આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેવું જન સંપર્ક અધિકારી શ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here