મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
આગામી તારીખ 29 જૂન ના રોજ બકરાઈદ પર્વ મનાવવામાં આવનાર હોય પોલીસ સ્ટેશન ખાતે આજે એક શાંતિ સમિતિની બેઠક ડી.વાય.એસ.પી કે .જે ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જેમાં ટાઉન પી.આઇ. ડી. કે વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.મોડાસા શહેરમાં શાંતિ અને ભાઈચારા પૂર્વક તહેવાર મનાવવામાં આવે તેવી તાકીદ કરાઈ હતી.
મોડાસા રથયાત્રા કમિટીના પૂર્વ પ્રમુખ નાનાલાલ પ્રજાપતિ. રમેશભાઈ કડિયા તેમજ રથયાત્રા ના પ્રમુખ ભરતભાઈ ભાવસાર. દિલીપભાઈ ભાવસાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઈ ભાવસાર. સરકારી તાજીયા કમિટીના સભ્ય જાકીરભાઇ બેલીમ. સબીરભાઈ બેલીમ. કસ્બા જમાત ના પ્રમુખ રફિકભાઈ જમાદાર તેમજ કસ્બાના અગ્રણી બાબુભાઈ મલેક સામાજિક કાર્યકર મુન્ના ખાન પઠાણ. તોસિફભાઇ શેખ. વહોરવાડ જમાતના સફરી ભાઈ મહેતાજી. ઇદગા કમિટીના પ્રમુખ ફકરૂદ્દીનભાઈ કાજી. ચડીભાઈ.
મોડાસા નગરપાલિકા ના કોર્પોરેટર લાલાભાઇ વાયરમેન અને સામાજિક કાર્યકર ઈકબાલભાઈ વેલ્ડર ઉપસ્થિત રહ્યા હતા.