ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
“નવભારત નિર્માણ” અને “આત્મનિર્ભર ભારત” ના પાવન ધ્યેય સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આજે ધાનપુર તાલુકાના ભોરવા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં કારોબારી ચેરમેન દાહોદ જિલ્લાના શ્રી અભેસિંહ મોહનીયા સાહેબ તથા ધાનપુર તાલુકાના પ્રમુખ શ્રી અભેસિંહ ભાઈ તથા પૂર્વ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ તથા ધાનપુર તાલુકાના પાર્ટી પ્રમુખ શ્રી પ્રતાપસિંહ લવારીયા સાહેબ તથા મામલતદાર ધાનપુર તાલુકાના શ્રી મોદી સાહેબ તથા ધાનપુર તાલુકાના માહા મંત્રી શ્રી બાબુભાઇ ચોહાણ સાહેબ જીલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી નરવતભાઈ મીનામા સાહેબ તથા ઉપ પ્રમુખ તાલુકા પંચાયત ધાનપુર શ્રી રતસિહ ભાઈ તથા દાહોદ જિલ્લાના કિસાનમોરચા મંત્રી શ્રી ભરતભાઈ પટેલ પૂર્વ ઉપ પ્રમુખ શ્રી જુવાનસિંહ પટેલ સાહેબ તથા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નરપતસિહ સાહેબ તથા માનનીય સરપંચ રીકુબેન સંગાડા પંચાયત ભોરવા તથા ડેપ્યુટી શ્રી દિલીપભાઈ બારીયા સાહેબ તથા પૂર્વ ડેપ્યુટી શ્રી વાલાભાઈ સહભાગી થયા હતા.