સિધ્ધપુરમાં સબરસ ગ્રીન પ્રોજેકટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

સિધ્ધપુર,(પાટણ) આશિષ પાધ્યા :-

સિધ્ધપુર તાલુકાને હરિયાળો બનાવવાના ડૉ. જય નારાયણભાઈ વ્યાસ ના માર્ગદર્શનમાં કાર્યરત સબરસ ગ્રીન પ્રોજેકટ અંતર્ગત સિધ્ધપુરની ઘનશ્યામ સોસાયટી ખાતે પાલિકા અધ્યક્ષા કૃપાબેન મનીષભાઈ આચાર્ય, ઉપપ્રમુખ નારીભાઈ આસનાની, સી.ઓ.જીતેન્દ્રભાઈ પટેલ,કપિલ પાધ્યા, નિરંજનભાઈ ઠાકર, ચિરાગભાઈ શુક્લા(પિંટુભાઈ માસ્તર) તેમજ સ્વયંસેવકો ની હાજરી માં શુક્રવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મ્યુ.સદસ્યો કનુજી ઠાકોર,મીનાબેન પ્રજાપતિ, ભાવનાબેન ઠાકોર, મહેરુન્નીસાબેન બલોચ સહિતના આગેવાનોએ વિવિધ જાતીના છોડ રોપી ને વૃક્ષારોપણ કર્યું હતુ. ઘનશ્યામ સોસાયટીના રહીશોએ આ વૃક્ષોનું જતન કરી ઉછેરવાની જવાબદારી ઉઠાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here