સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
પરમ દત્ત ઉપાસક અને બહોળો વર્ગ ધરાવતા સિદ્ધપુર ખાતે શ્રીગોવિંદ માધવના મહાઢ સ્થિત મઠ, શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર પરિસર તથા શ્રી હાટકેશ્વર મહાદેવ ખાતે લાંબા સમય સુધી યોગ – સાધના, ભક્તિ – ઉપાસના થકી જાણીતા બનેલ પરમ પૂજ્ય શ્રી કલિંદાનંદ તીર્થ મહારાજજી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે સમારાધાનાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વહેલી સવારથી જ દત્ત ભકતો દ્વારા શ્રી વિષ્ણુસહસ્ત્ર નામ સ્તોત્રમ ના પાઠ,સમારાધાના, મહા પૂજન વિધિ, તીર્થરાજ દર્શન, આરતી બાદ ભક્તજનો ને મહાપ્રસાદનો કાર્યક્ર્મ કરાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દત્ત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમારાધાના ના કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ શુક્લા, વનરાજભાઇ ઠાકર, અતુલભાઇ રાવલ, નિલેશભાઈ ભટ્ટ, નિસર્ગભાઇ પાધ્યા સહિત ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.