સિદ્ધપુરમાં સિનિયર સીટીઝન્સ માટે ટોકન દરે ભોજન અપાશે

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

માતૃભૂમિનું ઋણ ચૂકવવા હેટ એન્ડ કેર સંસ્થાના પ્રમુખે ગુરુ નો પ્રસાદ શરૂ કર્યો…

સિધ્ધપુર મંડી બજાર ખાતે સિદ્ધપુરના વતની અને અમદાવાદ સ્થિત કપિલ ભાઈ ભરતભાઈ ઠાકર પરિવારે પોતાની માતૃભૂમિ નું ઋણ ચૂકવવા હેટ એન્ડ કેર સંસ્થાના નેજા હેઠળ ગુરુ નો પ્રસાદ નામે ૫૦ વર્ષથી વધુ ઉંમરના જરૂરિયાતમંદ વૃદ્ધ અને સીનીયર સિટીઝન્સ માટે ટોકન કિંમતે ભોજન આપવામાં આવશે.જેમાં એકટાઈમ ના ૪૦ રૂપિયાનો ટોકન ચાર્જ લઈ ભરપેટ જમાડવામાં આવશે.આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ નરહરિભાઈ અમીન,જીઆઈડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂત,નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય, જીગલી અને ખજૂર ફેઈમ નીતિન જાની અને તરુણ જાની,વ્હોરા સમાજના હરરવાળા શેઠ,બચુભાઈ દવે (છોટાકાકા મગદળ વાલા), કનુભાઈ મહેતા, મનિષભાઈ શેઠ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here