રાજપીપળા S T ડેપોના ડ્રાઇવરે પોઇચા પુલ ઉપરથી નર્મદા નદીમા છલાંગ લગાવી- મોડી સાંજનો બનાવ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નાસિકની નોકરી કરી પરત ફરેલા એસ.ટી.ડ્રાઇવરની આત્મહત્યાનો રહસ્ય અકબંધ

પુલ ઉપરથી નર્મદા નદીમા ડ્રાઇવરે ઝુકાવ્યા નુ જાણી ડેપો મેનેજર સહિત ટી.આઇ. ઘટના સ્થળે દોડયા

રાજપીપળા એસ.ટી. ડેપોમા ડ્રાઇવર તરીકે ની ફરજ બજાવતા એક કર્મચારીએ આજરોજ મોડી સાંજે નર્મદા નદીના પોઇચા પુલ ઉપરથી નર્મદા નદીમા છલાંગ લગાવી દેતાં એસ.ટી.ડેપો ખાતે ભારે ભાગદોડ મચી હતી. ડેપો મેનેજર સહિત ટ્રાફીક ઇન્ચાર્જ કર્મચારીઓનો કાફલો પોઇચા પુલ ઉપર પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર રાજપીપળા એસ.ટી.ડેપોમા ડ્રાઇવર તરીકેની ફરજ બજાવતો મુંડવાલ આશિષકુમાર રણછોડભાઈ રહે.ઝગડા જી. સંતરામપુર નો એસ ટી. બેજ નંબર 748 નો આજરોજ પોતાની નાસિક ખાતેની ફરજ બજાવી નોકરી ઉપરથી રિટર્ન થયો હતો.જે સાંજે વડોદરા તરફ જતી ઇન્ટરસીટી બસમા બેસી રાજપીપળા ડેપોથી રવાના થયો હતો જે પોઇચા પુલ ઉપર ઉતરી ગયો હતો અને નર્મદા નદીમાં સાંજે લગભગ છ વાગ્યાના સુમારે છલાંગ મારીને નીચે કુદયો હતો.

આ બનાવ કેટલાક લોકોએ નજરો નજર પણ જોયું હતુ રાજપીપળા એસ .ટી. ડેપોમા આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી મેનેજર સહિત ટ્રાફીક ઇન્ચાર્જ તેમજ અન્ય કર્મચારીઓ પોઇચા પુલ ઉપર દોડી ગયાં હતાં. જોકે હાલ આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યા સુધી ડ્રાઇવરનો કોઈ પતો લાગ્યો નથી.પોલીસ કાફલો પણ પોઇચા પુલ ઉપર પહોંચ્યો હતો પરંતુ અંધારામાં લાશની શોધખોળ કરવાનુ અશક્ય હોય સવારે શોધખોળ કરાસેનુ ડેપો મેનેજર દ્વારા જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાના ચક્રો ગતિમાન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here