પાટણ, નીતિનભાઈ વ્યાસ :-
પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે આજરોજ જયા (ગૌરી)એકાદશી નિમિત્તે બ્રહ્મચોરાસીનું આયોજન રાખવામાં આવેલ હતું તેમાં સમસ્ત બ્રહ્મ સમાજને સહ પરિવાર ફલાહારી ભોજન આપવામાં આવ્યું તેમજ બ્રહ્મ પરિવારના અબાલવૃદ્ધોને પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું. સમગ્ર બ્રહ્મ સમાજ જમવા પધારેલ હતા તે દરેક વ્યક્તિઓને કુમકુમ અક્ષત તિલકથી આવકારવામાં આવ્યા હતા.તેમજ યથાયોગ્ય દક્ષિણા પણ આપવામાં આવી હતી .બ્રહ્મચોર્યાસી નું આયોજન તેમજ ખર્ચ નવીનભાઈ ભોગીલાલ વ્યાસ. અશ્વિનભાઈ કાંતિલાલ વ્યાસ અને વ્યાસ જૈમીન ભાઈ નીતિનભાઈ (જુનીયર એડવોકેટ) દ્વારા કરવામાં આવેલ હતું.