રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
દેશના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની કારની હાર બાદ લોકોએ તેની મજા લેવાનો લ્હાવો ઉઠાવ્યો છે, જેમાં દેશમાં તો અનેક જાતની ટીકા ટિપ્પણીઓ અને હસી મજાક થઈ જ રહ્યા છે પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનના લોકો પણ ટીકા ટિપ્પણી કરવામાં અળગા રહ્યા નથી!! વર્લ્ડ કપમાં ભારતની ફાઇનલ મેચમાં હાર થતાં વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે મેચ જોવા હાજર રહ્યા હોયને રાહુલ ગાંધીએ વડાપ્રધાનને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પનોતી શબ્દ નો ઉપયોગ કરી વડાપ્રધાન મોદી ની ટીકા ટિપ્પણી કરી હતી ત્યારે આજે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થતાં આ તકની ઝડપી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા એ એક હૃદય સ્પર્શી અને દિલચશ્પ રમુજ કરે તેવું ટ્વિટ કર્યું છે જેમાં તેણે લખ્યું છે ” પનૌતી કોણ ”
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા નું આ ટ્વીટ સમગ્ર દેશના રાજકારણમાં આજે ભારે ચર્ચાસ્પદ રહ્યું છે.