ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
કુલ કેસનો આંક ૩૯૩૧ થયો,કોરોનાને પછડાટ આપી ૩૭૫૪ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના કુલ ૦૪ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૩૮ થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલા કુલ ૪ કેસમાંથી શહેરી વિસ્તારમાંથી કુલ ૦૩ અને ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યો છે. ગોધરા શહેરમાં ૦૨ અને કાલોલ નગરમાંથી ૦૧ અને ગોધરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૭૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૫૪ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૫૪ થવા પામી છે.