પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના કુલ ૦૪ પોઝિટિવ કેસ મળ્યા, કુલ સક્રિય કેસો ૩૮ થયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કુલ કેસનો આંક ૩૯૩૧ થયો,કોરોનાને પછડાટ આપી ૩૭૫૪ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના કુલ ૦૪ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૩૮ થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલા કુલ ૪ કેસમાંથી શહેરી વિસ્તારમાંથી કુલ ૦૩ અને ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યો છે. ગોધરા શહેરમાં ૦૨ અને કાલોલ નગરમાંથી ૦૧ અને ગોધરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૭૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૫૪ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૫૪ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here