બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ભગવાન શ્રી પ્રગટ પુરુષોત્તમ નું ભવ્ય મંદિર છોટાઉદેપુરમાં નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી પ્રાગટ પુરુષોત્તમ નારાયણ ની મૂર્તિ પ્રતિષ્ઠા ભવ્ય ત્રિ દિવસીય કાર્યક્રમમાં યોજાયો હતો આ ભવ્ય અને અલૌકિક કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હરિભક્તો છોટાઉદેપુર પધાર્યા હતા આ મહોત્સવ ના પૂર્ણાહુતિ પ્રસંગે છોટાઉદેપુરમાં ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરી હતી છોટાઉદેપુરમાં શોભા યાત્રા સાથે સાથે જેમાં આદિવાસી નૃત્ય મડળી સાથે હાથી રથ સાથે ભવ્ય અને હરિભક્તોની મંડળીઓ સહિત હજારો હરિભક્તો જોડાયા હતા કુમારિકા ઉપર કળશ મૂકી ભગવાન શ્રી પરષોત્તમ મહારાજ નો ભવ્ય શોભા યાત્રા તેમજ પ્રભુ ઉપર ફૂલોની વર્ષા કરી હરિભક્તોએ વધામણા કર્યા હતા આ ભવ્ય કાર્યક્રમ હરિભક્તો દ્વારા સફળ બનાવ્યું હતું.