નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૨૪૮,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૬ અને ટ્રુ નેટ ટેસ્ટમાં ૧૫ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૩૫૯ થઈ

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૦ દરદીઓ સહીત કુલ ૩૯ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૬૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩૪ દરદીઓ તેમજ વડોદરા ખાતે ૬ દરદીઓ અને અમદાવાદ ખાતે ૧ દરદી સહિત કુલ ૧૦૧ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૮,૪૪૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૨૨૨ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૯ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૨૪૮,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૫ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૩૫૯ નોધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૦ દરદીઓ સહિત કુલ ૩૯ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૯ દરદીઓ સહિત કુલ ૨૫૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે રીફર ૬ દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર ૧ દરદી ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩૪ દરદીઓ સહિત કુલ ૧૦૧ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૫ (પંચાવન) અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧૩ સહિત કુલ ૬૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૯ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૫૮,૪૪૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૪૦ દરદીઓ, તાવના ૫૧ દરદીઓ, ઝાડાના ૩૦ દરદીઓ અને શ્વાસમાં તકલીફના ૦૧ દરદી સહિત કુલ-૨૨૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૦૨,૩૨૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૧૫,૪૬૪ લોકોને વિતરણ કરાઇ છે.

નર્મદા જિલ્લા માથી જે સ્થળેથી પોઝિટિવ કેસો મળી આવ્યા તેમાં રાજપીપળા દરબાર રોડ પોલીસ સ્ટેશન ટેકરા ફળીયા ચિત્રાવાડી બાબદા, ટીંબાપાડા ,નાની બેવડાણ ,ચિકદા , દેડિયાપાડા આમલેથા, ગામકુવા, કેવડીયા પોલીસ સ્ટેશન, ગોપાલપુરા જેવાં ગામો અને સ્થળો નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here