નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯ સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૬૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૪૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૪ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૫૬૨ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧ દરદી અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૯ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૫૧ દરદીઓ અને વડોદરા ખાતે ૮ દરદીઓ
સહિત કુલ-૯૦ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૯,૮૮૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૮૫ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૨ જી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૯ સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૬૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૪૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૪ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૫૬૨ નોંધાવા પામી છે.

રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧ દરદી અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૬૩૯ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮૩૦ દરદીઓ સહિત કુલ-૧૪૬૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૯ દરદીઓ અને વડોદરા ખાતે ૮ દરદીઓ સહિત કુલ-૯૦ દરદીઓ સારવાર હેઠળ છે.

આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે. આજે RTPCR ટેસ્ટમાં ૮૧, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૫૨ સહિત કુલ-૪૩૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨ જી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૯,૮૮૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૮ દરદીઓ, તાવના ૨૪ દરદીઓ, ઝાડાના ૩૩ દરદીઓ સહિત કુલ-૮૫ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૨,૯૭૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૯૬,૪૨૩ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here