નર્મદા જિલ્લાના દેડિયાપાડાના બળાત્કારના પેરોલ પરથી છુટી ફરાર થયેલા આરોપીને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયો

આરોપીને 2015 માં બળાત્કારના મામલે વડોદરા જેલમાં સજા ભોગવતો કોરોનાની મહામારીમાં પેરોલ પર છુટીને જેલ ખાતે પરત ન ફરતા પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા,
વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના નર્મદા પોલીસ ને અપાયેલ હોવાંનું જાણવા મળેલ છે.

તસ્વીર

જે અંતર્ગત એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૫/૨૦૧૫ ઇ.પી.કો. ક્લમ ૩૭૬ તથા પોસ્કો એક્ટ ૪ મુજબના ગુનાના કામનો કેદી વિજયસિંહ હિંમતભાઇ રાજપુત રહે. દેડિયાપાડા નાઓનો વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો. અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ. જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા જેલ સત્તાવાળાઓ નર્મદા પોલીસ ને જાણ કરી હતી.

પેરોલ ઉપરથી ફરાર થતાં ડેડીયાપાડા પો.સ્ટે. બી-પાર્ટ નં. ૬૫૦/૨૦૨૦ પ્રિઝન એક્ટ ૫૧ (૧) તથા ૫૧ (બી) મુજબનો ગુનો નોંધવામાં આવેલ. જે ફરારી કેદીને પકડવા સારૂ અ.હે.કો. સંજયભાઇ પુનીયાભાઇ બ.નં.૫૪૭નાઓને બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે વિજયસિંહ ઉર્ફે વિજયભાઇ હિમ્મતભાઇ રાજપુત રહે, થાણાફળીયા ડેડીયાપાડા જી.નર્મદાનાનો ફરાર કેદી ડેડીયાપાડા ખાતે છે તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ડેડીયાપાડા તા.ડેડીયાપાડા ખાતે જઇ સદર ફરાર કેદીને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે .

પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં પેરોલ-ફર્લો ઉપરથી ફરાર કેદીઓને પરત જેલ હવાલે કરવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here