મુસ્તુફા મિરઝા, કાલોલ(પંચમહાલ)
કાલોલ નગરમાં કોરોનાનો અજગર ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોમાં પોતાનો ભરડો ફેલાઈ રહ્યો છે. શનિવારના રોજ કાલોલ નગરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા ૧૭ વર્ષીય મિતલબેન કિશોરભાઈ ખવાસ તથા કોલેજ રોડ પર રહેતા ૪૭ વર્ષીય યોગેન્દ્ર અરવિંદ સોલંકી તથા બસ સ્ટેન્ડની સામે આવેલા સાઈદર્શન કોમ્પલેક્ષ ખાતે રહેતા ૩૨ વર્ષીય કુશલ હસમુખ સિંહ ગોહિલ એમ કુલ ત્રણ કેસ કાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એન્ટીજન ટેસ્ટમાં બહાર આવેલા જેથી કાલોલમાં કુલ કેસોની સંખ્યા ૭૭ ની નોધાઈ હતી તથા કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેલોલ ગામમાં વણજારા વાસમાં રહેતી ૭૦ વર્ષીય મહિલા ચંપાબેન છત્રસિંહ રાઠોડ દેલોલ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા જેથી કાલોલ તાલુકામાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૧૧૯ નોંધાઈ હતી.