માંગરોળ,
વસીમખાન બેલીમ
તાલાલા તાલુકાના ઘૂસિયા ગીરના પૂર્વ સરપંચ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ આગેવાન માનનીયશ્રી ભરતભાઈ વાળા દ્વારા ઘણા વર્ષોથી સતત નિસ્વાર્થ ભાવે અવિરતપણે સાતમ આઠમના પર્વ પર ફરસાણના સારી ગુણવત્તા વારા તેલ અને લોટમાં (ભાવનગરી ગાંઠિયા,ચવાણું ,તીખા ગાઠિયા વગેરે..) બનાવી અને સમગ્ર ઘુસીયા ગીરના છેવાળાના લોકોને દર વર્ષે તેમના રઘુવીર ગ્રુપ ના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈને અને ફરસાણ પેકેટ બાટવામાં આવે છે..
આવી ઉત્તમ કામગીરી અને સેવા યોગદાન અદા કરવા બદલ ભરતભાઈ વાળા (કાકા) તેમજ તેમની ટીમને જન અધીકાર મંચ દ્વારા દિલથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે