નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૫ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩ સહિત કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાયા

  • જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૮૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૭૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૩ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૫૮૪ થઈ
  • રાજપીપળાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ (પાંચ) દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દરદીને આજે રજા અપાઈ
  • રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૯ દરદીઓ અને વડોદરા ખાતે ૪ દરદીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૧૭ દરદીઓ સહિત કુલ ૬૧ દરદીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૩૬૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૮ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૫ (પાંચ), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૩ સહિત કુલ ૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૮૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૭૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૩ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૫૮૪ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ (પાંચ)દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દરદીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૫૪ દરદીઓ સહિત કુલ ૫૨૩ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૧૭ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૯ દરદીઓ સહિત કુલ ૬૧ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૬, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૦૨ સહિત કુલ ૩૫૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૩૬૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૬ દરદીઓ, તાવના ૩૧ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૧૨૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૩૪,૩૪૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૪૪,૭૮૨ લોકોને વિતરણ કરાઇ છે. આજરોજ જે પોઝિટિવ કેસો મળી આવ્યા તેમા રાજપીપળા ના ત્રણ કેસો નો સમાવેશ થાય છે જેમાં રાજેન્દ્ર નગર સોસાયટી માથી 1 પાઠક ખડકી માથી 1 એલ આઇ સી ઓફિસ પાસે થી એક કેસ મળી આવેલ. જયારે નિકોલી, જીયોરપાટી , કાદરોજ, કેવડીયા કોલોની અને સાગબારા ખાતે થી પણ એક એક કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here