હાલોલ તાલુકાના આદેશ આશ્રમ પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

હાલોલ, (પંચમહાલ) કનુભાઈ બારીયા :-

હાલોલ તાલુકામાં બાપુ બાલકનાથ આશ્રમ (આદેશ આશ્રમ) પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કનુભાઇ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ-૨૩માં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકાના અગ્રણી મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૈકોઈએ મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવાકે, નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો, સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસગે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ પણ “શ્રી અન્ન” મિલેટસની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ,સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.

આ તકે કૃષિ પ્રદર્શનમાં વિવિધ ૧૫ જેટલા સ્ટોલ તથા સેવાસેતુના ૧૫ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેનો ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here