નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી કુલ કેસની સંખ્યા 13…

રાજપીપલા (નર્મદા)
આશિક પઠાણ

૧૩ પોઝિટીવ કેસોમાંથી ૧૨ ના રીપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ,જ્યારે હાલ એક કેસ સક્રિય

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૮ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૪૫ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૩,૯૩૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૯૬ જેટલા જરૂરિયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૪ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૪૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૮ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. આમ, જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા એક છે. તદઉપરાંત આજે ૪૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૪ મી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૩,૯૩૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૨૪ દરદીઓ, તાવના ૪૩ દરદીઓ અને ડાયેરીયાના ૨૯ દરદીઓ સહિત કુલ – ૧૯૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો ૮૭,૧૮૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૫૨,૨૨૧ લોકોઓને વિતરણ કરાઇ હતી.આજસુધીમાં જિલ્લા મા પોઝિટિવ કેસો કુ 13 નોધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here