સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગઢેશ્વર બ્રિજ ઉપરથી નર્મદા નદી માયુવાન અને યુવતીને મોતની છલાંગ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના વઘારેલી ના યુવક અને કોસમિયા ગામની યુવતી ના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ

યુવક યુક્તિ એ નર્મદા નદીમાં પુલ ઉપરથી છલાંગ મારી મોતને ભેટતા લોકોના ટોળેટોળા ફૂલ સહિત નદી કિનારે ઉંમટી પડ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગઢેશ્વર ગામના પુલ ઉપરથી યુવાન અને યુવતીએ નર્મદા નદીમાં છલાંગ મારી મોતને વ્હાલું કરતા લોકોના ટોળેટોળા નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા હતા.

બનાવની વાત કરીએ તો ગરુડેશ્વરના બ્રિજ ઉપરથી આજરોજ સાંજના ચારેક વાગ્યાના સમારે પ્રેમી યુવક યુવતીએ નર્મદા નદીમાં મોતનો ભૂસ્કો માર્યો હતો. પુલ ઉપરથી નીચે પાણીમાં પટકાતા બંને યુવક યુવતીના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ આસપાસના ગ્રામજનોને તેમજ અવરજવર કરતા લોકોને થતા લોકોના ટોળે ટોળા પુલ સહિત નર્મદા નદી કિનારે ઉંમટી પડ્યા હતા.

યુવક યુવતીએ નર્મદા નદીમાં પુલ ઉપરથી ભુસ્કો માર્યાની ગરુડેશ્વર પોલીસને જાણ થતા ગરૂડેશ્વર પોલીસ ઘટના સ્થળે ત્વરિત જ દોડી આવી હતી, અને તરવૈયા ઓ ની મદદથી મૃતકોની લાસો બહાર કાઢી હતી અને તેમની ઓળખ કરતા યુવક વઘરાલી નો હોવાનો અને યુવતી કોસમીયા ગામ ની હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે હજુ સુધી મૃતક યુવક યુવતીના વારસદારો પોલીસ સમક્ષ આવ્યા ન હોય લાસોની ઓળખ થઈ નહોતી, યુવક વાઘરાલી ગામ નો અને યુવતી કોસમિયા ગામની હોવાનુ જાણવા મળ્યું છે. બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાસ્પદ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here