સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીકના અવાવારું જંગલમાંથી વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો

હાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પાવાગઢ ખાતે અટક દરવાજા પાસેના અવાવરૂ જંગલમાં એક યુવક યુવતી ઝાડની ટોચે લટકી આત્મા હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જ જીવનલીલા સંકેલી લેનાર યુવક યુવતી પ્રેમી પંખીડા હોવાનું બહાર આવ્યું હતું, જે પૈકી યુવક કાલોલ તાલુકાના રોયન નાંદરખાનો કિરણ ધીરુભાઈ રાઠવા અને યુવતી ઘોઘંબા તાલુકાના મોગાધારાની ચાસના બારીયા હોવાનું જણાવાયું હતું.
ઘટનાને પગલે યુવક યુવતીનો પરિવાર પાવાગઢ દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમે સૂત્રો એ જણાવ્યું હતું કે પ્રેમી પંખીડાઓ પૈકી કિરણ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને આ યુવતીના સંપર્કમાં આવ્યા પ્રેમના અંકુરણો ફૂટ્યા હતા. પરંતુ યુવકના પરિજનોએ આજથી દશ દિવસ પૂર્વે તેના લગ્ન અન્ય યુવતી સાથે કરાવી દેતા પ્રેમિકા સાથે જીવન સાફલ્યની પૂર્ણતા પામવાના આરમાંનો
અધૂરા રહ્યા હોવાની અસમંજસની સ્થિતિઓ મધ્યે ગતરોજ બંને પ્રેમી પંખીડાઓ એ ઘરેથી નીકળી આવતા ભવે મળવાના કોલ સાથે પાવાગઢના અટક દરવાજા નજીકના અવાવરૂ જંગલમાં દુપટ્ટાનો ગાળીઓ કરી એકસાથે ઝાડની ટોચે લટકાઈ જતા બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું.
એક તરફ પ્રેમી પંખીડાઓની આત્મહત્યા અને બીજી તરફ કિરણની નવોઢાનું દામ્પત્ય જીવન પ્રથમ પગલે જ નંદવાઈ જતા ત્રણ પરિવારોમાં ઘેર શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતકોને રેફરલ હોસ્પિટલ હાલોલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here