સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિઘ્ઘપુર દેથળી ચાર રસ્તા ખાતે આવેલ પરચાધારી શ્રી હરસિધ્ધ માતાજી (બોબડી માઁ)ના મંદિરે ભાદરવા સુદ અગીયારસ ના દીવસે નવચંડી યજ્ઞ કરવામા આવ્યો હતો.યજ્ઞ ના આચાર્યપદે વિજયભાઈ રાવલ,હાર્દીકભાઈ રાવલ જ્યારે યજમાન પદે સોની સુનિલભાઈ,ઠાકોર પ્રકાશ ભાઈ પરિવાર બિરાજ્યા હતા.આ મંદિર ની સ્થાપના કરનાર સ્વ.રાજુભાઈ જાની,રજનીભાઈ જાની અને તેમના શક્તિ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 39 વર્ષથી ભાદરવા સુદ અગીયારસ ના દીવસે સવારે હવન અને રાત્રે ડાયરા નુ આયોજન કરવામા આવે છે.જો કે ચાલુ વર્ષે ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ નથી એવું રજનીભાઈ જાની એ જણાવ્યું હતું.