સિદ્ધપુરમા કોંગ્રેસ કારોબારી ની બેઠક યોજાઇ…

સિદ્ધપુર,(પાટણ) આશિષકુમાર. :-

સિદ્ધપુર શહેર ના માર્કેટયાર્ડના હોલ ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની બેઠક યોજાઈ.જેમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો,કાર્યકરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.આ ઉપરાંત સમસ્ત કારોબારીની બેઠક દરમિયાન સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના ખુબજ અગત્યના પ્રશ્નો જેવાકે સરસ્વતી
૧. નદીમાં બારે માસ પાણી છોડવામાં આવે,
૨. સિદ્ધપુરમાં કથળેલી આરોગ્યની સુવિધાઓમાં સુધારો કરી સારી આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય
૩. કાકોશી વિસ્તારમાં GIDC મંજૂર કરવા બાબતે
૪. કાકોશી વિસ્તારમાં સિંચાઇ ના પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાવવા
આમ સિદ્ધપુર વિસ્તાર ના મહત્વની સમસ્યાઓના નિવારણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા સર્વાનુમત્તે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા.આ પ્રસંગે સિદ્ધપુર ધારાસભ્ય ચંદન જી ઠાકોર જણાવેલ કે વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું અને જો હવે આ મુદ્દાઓને લઇ સરકાર કોઈ પગલાં નહિ લે તો આવનાર સમયમાં સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર, જીલ્લા પ્રભારી ગજેન્દ્ર સિંહ રહેવર,સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રભારી રામજીજી ઠાકોર, ટ્રેનર અમૃતજી ઝાલા,જીલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા અશ્વિનભાઈ પટેલ (દાઢી),જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સાકેરાબેન મરેડીયા, તા.પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ,ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન, કારોબારી ચેરમેન આર.કે. ઠાકોર, પાટણ જીલ્લા પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર સહિત કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here