સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુરમાં ગોકુળ આઠમ ના દિવસે ઐતિહાસિક માધુપાવડીયા ઘાટ સ્થિત પવિત્ર ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે અશ્વપ્રેમી એવા ઔ.સ. બ્રાહ્મણ જ્ઞાતિપ્રમુખ સ્વ. અવિનાશભાઇ ઠાકરના સ્મરણાર્થે અશ્વ(ઘોડા)દોડ નું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. અવિનાશ બાપા ઠાકરને ફૂલહારથી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ અશ્વદોડમાં સિદ્ધપુર શહેર, તાલુકા તેમજ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી ૭૦ થી વધુ અશ્વપાલકોએ આવ્યા હતા જેમાંથી આશરે ૫૦ જેટલા અશ્વ સવારોએ અશ્વદોડમાં સ્વેચ્છાએ ભાગ લઈ અશ્વ પ્રેમીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું આ અંગે અશ્વ પાલક અમરભાઇ દવે અને નારાયણપૂરી ગોસ્વામીએ જણાવેલ કે પૂ.અવિનાશ બાપા ઠાકર કે જેઓ વર્ષો થી અશ્વ તેમજ ગૌ પાલન અને સેવામાં હરહંમેશ અગ્રેસર રહેતા તેમની દિલ થી એક ઈચ્છા હતી કે સિદ્ધપુર સરસ્વતિ નદીના પટમાં તહેવારોમાં આવતા અશ્વ ચાલકોમાં એક અશ્વ દોડનું આયોજન થાય અને સાધુ,સંતોમહંતો અને ઝેરી બાવાની વર્ષોજુની પરંપરા ફરીથી જીવંત થાય તે અંતર્ગત સિદ્ધપુર અશ્વપ્રેમી મિત્રમંડળના સભ્યોએ આ અશ્વદોડમાં જોડાયેલા દરેક અશ્વપાલકો અને અશ્વ સવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.