સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સ્મશાનમાં કાંટાળી વાડ બનાવી કરાયેલા અનેક દબાણો દૂર કરવા પ્રાંત ઓફિસર,મામલતદાર સહિત પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત..
સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નં. ૯ માં આવતા નવા વાસ,નવા વણકરવાસ વિસ્તાર પાછળ દક્ષિણ બાજુ આવેલ સરસ્વતિ નદી કાંઠે સમસ્ત અનુસૂચિત જાતિ ના સમુદાય માટે મરણોત્તર પ્રસંગે અંતિમક્રિયા-દફન વિધિ માટે સ્મશાન આવેલ છે.આ સ્મશાન ની જગ્યા માં આજુબાજુ વાળાઓએ ગેરકાયદેસર દબાણો કરી કાંટાળી વાડ વડે સ્મશાન-કબ્રસ્થાનનો મોટાભાગનો ભાગ ગેરકાયદે પચાવી પાડ્યો છે.આથી પ્રવર્તમાન સમયે અનુસૂચિત જાતિ ના લોકોની લાગણી દુભાઈ રહી છે તેમજ સમાજના લોકોને મરણોત્તર કારજે અંતિમક્રિયા-દફનવિધિ ક્રીયા કરવી પણ દુષ્કર બની જવા પામી છે.આથી આ તમામ દબાણો સત્વરે દૂર કરી સમગ્ર સ્મશાન ને ખુલ્લું કરી આપવા સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ એવા ભાજપ કાર્યકર્તા જ.લ.પરમારે પ્રાંત ઓફિસર,મામલતદાર સહિત ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી છે.