નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકોએ તેમની પડતર માંગણીઓ પૂરી ન થતા નસવાડી મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તમામ સંચાલકો સેવા સદન ખાતે એકઠા થઈ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાનો ચલાવતા સંચાલકોની પડતર માંગણીઓ છે જે પૂરી કરાતી નથી અને આ બાબતે સંચાલોકોએ વારંવાર સંચાલકોના યુનિયન દ્વારા રજૂઆતો કરી છે છતાં પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી આ બાબતને ધ્યાને લઈ સંચાલકોએ આગામી સપ્ટેમ્બર માસમા અનાજનો જથ્થો ઉઠાવે નહી એવું નક્કી કરાતા નસવાડી સસ્તા અનાજના સંચાલકોએ સેવા સદન પહોંચી ભારે સૂત્રચાર કરવામાં આવ્યા હતા જેમાં હમારી માંગે પૂરી કરો ના સૂત્રોચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જે અનાજ લોકોને મળતું બંધ થઈ જશે તો સંચાલકોની જવાબદારી રહેશે નહી અને સરકાર અમારી માંગણીઓ નહીં સંતોષે તો વધુ આંદોલન કરવાની ચીમકી આપી છે.