બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
બોડેલી ગોવર્ધન નગર માં રહેતા રાઠવા વ્રજ અરવિંદભાઈ ઉમર ૧૯. વર્ષે. રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતા રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા ઘરના ચિંતામાં મુકાયા હતા બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી સવારમાં કેનાલ આસપાસ તપાસ કરતાં બોડેલી નર્મદા મેન કેનાલ ડભોઈરોડ પર બ્રિજથી થોડે અંતરે બાઈક લોક કરેલું મળ્યું હતું તેથી બોડેલી તરવૈયા બોલાવીને કેનાલમાં શોધખોળ ચાલુ રાખી હતી ત્યારે આજે બપોર ૧૨ કલાકે બોડેલી થી અંતરે આવેલ 14 કિલોમીટર સનોલી બ્રિજ પાસેથી વ્રજની મૃત્યુ પામેલી કેનલમાં થી લાશ મળી આવી હતી ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન ના પોલીસ સ્થળ પર આવીને વ્રજની લાશને સુર્યા ઘોડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવવા લઈ જવા જણાવ્યું હતું ત્યાંથી સુર્યા ઘોડા પોસ્ટમોર્ટમ કરાવવા લઈ ગયા હતા