ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
રામદેવપીર હનુમાન દાદા અને વિશ્વકર્મા ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં બિરાજમાન કરાશે
ડીસા વાડી રોડ વિસ્તારમાં સમસ્ત લુહાર સમાજ દ્વારા બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ આજે ભગવાનની જ્યોત લઈ ડીસા મંગળ પાર્ક ભાગ-૧ માં પ્રવીણ ભાઈના ઘરે લાવવામાં આવી હતી ભગવાન ની જ્યોત લાવવાની ખબર પડતાની સાથે ભાવિક ભક્તોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જોવા મળ્યો હતો ઢોલ નગારા ના તાલ સાથે ભાવિક ભક્તો નાચી ઊઠયા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડીસા રામદેવ વિકાસ સમિતિ ના સભ્યો દ્વારા પણ આયોજન કરવામાં આવેલું છે આમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભગવાન રામદેવપીર હનુમાન દાદા અને વિશ્વકર્મા ભગવાનની મૂર્તિને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે આ બે દિવસીય આયોજન માં વિષ્ણુ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તો ને આવકારવા ડીસા સમસ્ત લુહાર સમાજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે અને આ બે દિવસથી આયોજનમાં આવનાર ભાવિ ભક્તો માટે રોકાવા તેમજ જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે