ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલએ જન-આર્શિવાદ પ્રાપ્ત કરી પોતાની ઉમેદવારી નોંધાવી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજ રોજ ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલએ જન-આર્શિવાદ પ્રાપ્ત કરી પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને જેથી આજરોજ વિશાળ જનમેદની વચ્ચે આવનારા સમયમા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાની તમામ સમસ્યાઓ જેમા મુખ્ય પાણીના સ્તર તેમજ નહેર બાબતની અને જી.આઈ.ડી.સી બાબતની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા બાબતે વિશ્વાસ અને ભરોસો‌ આપેલ છે. અને તમામ‌ ગ્રામજનોએ પ્રચંડ બહુમતિથી જીતાડી આપણા તાલુકાનું કમળ મા‌.નરેન્દ્રભાઈ મોદીસાહેબ ના ચરણોમાં અર્પણ કરી તાલુકાના વિકાસમાં સહભાગી બનવા માટેનો વિશ્વાસ અને શક્તિ આપી વિકાસયાત્રા શરુ કરી ચુંટણીના પડઘમ વગાડી વિજયી શરુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here