બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ
સંકટ દુર કરવા માટે તાંત્રિક વિધિ કરી આપવાના બહાને અલગ અલગ જગ્યાએ બોલાવી , છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , રોકડ રકમ તથા સોનાના દાગીના પડાવતી ટોળકીને રૂા .૧૫,૬૮,૯૮૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ફરિયાદની વિગતઃ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના રહેવાસી જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ – શાંતિ રહેતી ન હોય , તેમજ તેમના પત્ની માનસિક બિમાર રહેતા હોય , જેથી તેઓ ઘણા સમયથી પરેશાન રહેતા હોય , દસેક માસ પહેલા , તેઓના ઘરે ત્રણ અજાણ્યા ઇસમો કેસરી કલરના ભગવા કપડા પહેરીને આવેલ , જેમાં એક વ્યક્તિએ પોતાનું વઘાસીયા બાપુ હોવાનું અને પોતે કચ્છથી ચાલીને જુનાગઢ પરિક્રમામાં જતા જણાવેલ . તેમણે જયંતીભાઇ તથા તેમના પત્નીના માથા ઉપર હાથ મુકી , આશિર્વાદ આપી , જયંતીભાઇને કહેલ કે , “ બેટા , તારા ઘરમાં ખુબ સંકટ છે , અને તારા પત્ની બિમાર રહે છે , તારા માથે ખુબ દેણું વધી ગયેલ છે , અને તમારી જમીનમાં કંઇક મેલુ છે , તેવું મને જોવામાં આવે છે , તે બધુ સંકટ દુર કરવા અને પરીવારમાં સુખ – શાંતિ લાવવા માતાજીની વિધિ કરવી પડશે . તેવું જણાવી , જયંતીભાઇને વિશ્વાસમાં લઇ , વઘાસીયા બાપુએ તેમના જુનાગઢના ગુરૂદેવના મો.નં- ૮૧૨૮૮૬૩૩૮૧ ઉપર વાત કરાવી , ગુનાહિત કાવત્રુ રચી , વિધિ કરવાના બહાને તેમને થાન ( ચોટીલા ) અવાવરૂ જગ્યાએ બોલાવી , ત્યાં હાજર ગુરૂદેવ તથા વઘાસીયા બાપુની સાથે એક છોકરો હોય , તે વિધિ વખતે જમીન ઉપર પડી ગયેલ અને વિધિ અવળી પડી છે , તેમ કહી , જયંતીભાઇ પાસે તે છોકરાને સાજા કરવા અને વિધિ પુર્ણ કરવાના બહાને , વઘાસીયા બાપુ તથા તેમના ગુરૂદેવ તથા બીજા ત્રણ અજાણ્યા માણસોએ મળી , જયંતીભાઇનો ફોન ઉપર અવાર – નવાર સંપર્ક કરી , ધાર્મિક વિધિ કરવાના બહાને અલગ અલગ સમયે , દ્વારકા , અવાવરૂ જગ્યાએ બોલાવી , કટકે કટકે રોકડ રૂ . ૯,૦૦,૦૦૦ ( નવ લાખ ) તથા જુના સોનાના દાગીના આશરે આઠ તોલા , જેની કિ.રૂ .૮૦,૦૦૦ મળી , કુલ રૂ .૯,૮૦,૦૦૦ ( નવ લાખ , એંશી હજાર ) તેમજ જયંતીભાઇની ખેતીની જમીન મેલી છે , તે વેચવી પડશે તેમ જણાવી , જમીન વેચાવી , જમીનના આવેલ રૂ .૧૫,૦૦,૦૦૦ ( પંદર લાખ ) સિધ્ધ કરવાનું જણાવી , ફોન કરી , કુવાડવા ગામ , વાંકાનેર રોડ , ખોડીયાર માતાજીના મંદિર પાસે બોલાવી , પૈસા સિધ્ધ કરી આપવાના બહાને જયંતીભાઇને વિશ્વાસમાં લઇ , રૂ .૧૫,૦૦,૦૦૦ ( પંદર લાખ પડાવી , કુલ રૂ .૨૪,૮૦,૦૦૦ ( ચોવીસ લાખ એંસી હજાર ) ની છેતરપીંડી કરેલ હોય , જે અંગે જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાની ફરિયાદ પરથી તા .૧૩ ૦૯ ૨૦૨૦ ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૦૦૭૧ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ ( બી ) , ૧૧૪ મુજબનો ગુન્હો રજી . થયેલ હતો . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી..અશોકકુમાર યાદવ ની સુચના મુજબ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ , ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , તેમના રૂપીયા અને દાગીનાઓ પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલ્કત તેમને પાછી મળે , તે માટે કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા , પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું . જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી , આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં અને આજરોજ અમરેલી ચિત્તલ રોડ ઉપર આવેલ સોસાયટીમાં અંધશ્રધ્ધા ફેલાવી , રૂપીયા પડાવવાના ઇરાદે આંટાફેરા મારતાં આરોપીઓને પકડી પાડી , તેમની પાસેથી ફરિયાદીના રોકડા રૂપીયા તથા ઘરેણા તથા ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર સહિતનો મુદ્દામાલ કબ્ધ કરી , તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે .કે પકડાયેલ આરોપીઓ : ( ૧ ) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા બાપુ , ઉ.વ .૨૫ , ધંધો – ભિક્ષાવૃતિ , રહે.વાંકાનેર , ભોજપરા , હાલ – ખીરસરા , તા.જિ.રાજકોટ . ( ર ) જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ , ઉ.વ .૩૦ , ધંધો – ડ્રાઇવિંગ , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી . ( ૩ ) કવરનાથ રૂમાલનાથ ભટ્ટી , ઉ.વ .૩૫ , ધંધો – વેપાર , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી , ( ૪ ) નરેશનાથ રૂખડનાથ પઢીયાર , ઉ.વ .૨૫ , ધંધો- મજુરી , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી . ( ૫ ) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર , ઉ.વ .૩૫ , ધંધો – મજુરી , રહે.મકનસર , વાદીપરા , તા.જિ.મોરબી , ક પકડાયેલ મુદ્દામાલઃ ( ૧ ) રોકડા રૂ .૭,૮૫,૫૦૦ ( ર ) સોનાના ઘરેણાં , કિં.રૂા .૪,૮૩,૪૮૦ ( 3 ) ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર , રજી.નં. જી.જે.૩૬.એફ .૩૬ ૨૬ , કિં.રૂા .૩,૦૦,૦૦૦ ઉપરોક્ત વિગતે મળી કુલ કિં.રૂા .૧૫,૬૮,૯૮૦ નો મુદ્દામાલ . 8 આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિઃ આ કામે પકડાયેલ રૂખડનાથ , જાનનાથ અને કવરનાથ ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ભગવા વસ્ત્રો અને માળા ધારણ કરી , ઘરે ઘરે ફરે છે , અને વઘાસીયા બાપુનું નામ ધારણ કરી , પોતે કચ્છમાંથી આવે છે અને જુનાગઢ જવું છે , તેવું જણાવી , ભોળા માણસોની આસ્થાનો ગેરલાભ ઉઠાવી , તેમને જીવનમાં ખુબ સંકટ છે , તેવી બીક બતાવી સંકટ ટાળવા માટે વિધિ કરવાના બહાને તેમનો મોબાઇલ નંબર મેળવી , બાદમાં તેને ફોન કરી , અવાવરૂ જગ્યાએ વિધિ કરવા માટે બોલાવી , ત્યાં વિધિ શરૂ કરી , અગાઉ નક્કી થયા મુજબ નરેશનાથ મોઢામાં કંકુ રાખી , જમીન ઉપર પડી જઇ , લોહી નીકળતું હોય , તે રીતે કંકુ મોઢામાંથી કાઢી , તરફડવા લાગતો , અને વિધિ અવળી પડેલ છે , એટલે આ છોકરાને તકલીફ થઇ ગઇ છે , તેવું કહી , આ છોકરાને અઘોરી બાવાનો ધુપ દેવાનું બહાનું બતાવી , ધુપ ખુબ મોંઘો આવે છે , તેવું જણાવી , અલગ અલગ જગ્યાએ બોલાવી , નરેશનાથની વિધિ અને ધુપ દેવડાવવાના બહાને મોટી રકમ તથા ઘરેણા પડાવતા હતાં . અને છેલ્લા એકાદ વર્ષથી આ રીતે અંધશ્રધ્ધા ફેલાવી , લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતાં હતાં . જાહેર જનતાને પણ આ પ્રકારના લેભાગુ તત્વોથી ચેતીને રહેવા તથા અજાણ્યા ઇસમોની વાતોમાં આવી , ડરવા કે પોતાની કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા , પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.