ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
હાલ તહેવારોની હરમાળાનો સમય ચાલી રહ્યો છે અને હવે ઝુજ દિવસોમાં તહેવારોનો રાજા એવા દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને ધ્યાને લઇ શુખી સંપન્ન કુટુંબના બાળકો પોતાના પરિવાર જનોની સાથે બજારોમાં ભીડ સ્વરૂપે જોવા મળે છે જ્યારે જેનો કોઈ નાથ નથી એવા અનાથ બાળકો પોતાના નસીબના લેખાજોખાનો સહર્ષ સ્વીકાર કરી જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ વિધિના વિધાને દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડ જેવા અનેક દાનવીરોને આવા અનાથ બાળકોના નાથ બનાવીને ધરતી પર અવતર્યા છે.. જે અનુરૂપ ગતરોજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કંજેટા ખાતે અનાથ બાળકોને દિવાળીના પર્વના અનુસંધાને કપડાં તથા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત રહી અનાથ બાળકોને કપડાં અને અનાજની કીટનું વિતરણ કર્યું હતું અને જરાજાહેર સ્વીકાર્યું હતું કે આ કાર્ય કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું તે બદલ હું સંસ્થાના સભ્યોનો ખુબ આભાર માનું છું…