ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
આજ રોજ લીમડી તાલુકાના રૂપાખેડા કંબોઈ ગુરુ ગોવિંદજી ના સાનિધ્યમાં ગુરુ ગોવિંદ ધામ ખાતે ‛વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન થતા સૌ પ્રજાજનો અને ગુરુ ગોવિંદજીના ભક્તો દ્વારા યાત્રાનું આદિવાસી પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોથી આદિવાસી સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વન સેતુ ચેતના યાત્રા આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરશે.